પુણેમાં મોરબી ઝૂલતા પુલ જેટલી મોટી હોનારત થતા રહી ગઈ

sayyamnews
By sayyamnews Add a Comment 1 Min Read

ભારત માટે 2025નું વર્ષ ખૂબ જ ભયાનક રહ્યું છે. અમદાવાદ પ્લેન ક્રેશ, કેદારનાખ હેલિકોપ્ટર ક્રેશ, મથુરા ઘરો ધરાશાયી અને પુણેમાં પુલ પડ્યો હોવાની ઘટના બની હતી. મહારાષ્ટ્રના પુણેમાં માવલ તાલુકાના પ્રખ્યાત પર્યટન સ્થળ કુંડમાલા ખાતે ઈન્દ્રાયણી નદી પર બનેલો એક જૂનો પુલ બપોરે લગભગ 3:40 વાગ્યે અચાનક તૂટી પડ્યો હતો. પુલ ધરાશાયી થતા 30થી વધુ લોકો નદીમાં તણાયા હતા, જે પૈકી 5 લોકોના મોત થયા છે. ત્યારે આ અંગે મોટો ખુલાસો થયો છે. સ્થાનિકોના જણાવ્યાં પ્રમાણે અહીં 150થી 200 લોકો આવ્યાં હતા, જેથી ભાર વધી ગયો અને પુલ ધરાશાયી થઈ ગયો હતો.

https://x.com/AHindinews/status/1934338811640574349

આ ઘટનાને જેણે પોતાના નજર સામે જોઈ તમે મીડિયા સાથે વાત કરીને હકીકત જણાવી છે. મહત્વનું છે કે રવિવારની રજા હોવાને કારણે કુંડમાલા પર પ્રવાસીઓની ભારે ભીડ હતી. ઘણા લોકો પુલ પર ઉભા રહીને ફોટોગ્રાફી કરી રહ્યા હતા ત્યારે જ પુલનો અડધો ભાગ તૂટી પડ્યો. પુલના જે ભાગમાં પથ્થરોનો ભંગાર પડ્યો, ત્યાંથી પસાર થતા લોકોને ગંભીર ઈજાઓ થઈ છે, જ્યારે અન્ય ઘણા લોકો નદીના પ્રવાહમાં તણાયા હતા.આપને જણાવી દઈએ કે 30 ઓક્ટોબર 2022ના રોજ મોરબીમાં એક ઝૂલતો પુલ તૂટી પડ્યો હતો. આ દુર્ઘટનામાં 135 લોકોના મોત થયા.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *