ઓપરેશન સિંદૂરથી દુનિયાને પોતાની તાકાત દેખાડનાર ભારત હવે સ્વદેશીકરણ સાથે આધુનિક પગલાઓ ડિફેન્સ ક્ષેત્રે પણ ભર્યા છે. આ સાથે વર્ષ 2025માં નૌસેના દેશની દરિયાઈ તાકાતમાં વધારો કરશે. જેમાં આગામી સમયમાં 9 યુદ્ધ જહાજ નૌસેનામાં જોડાશે. આ જહાજો રૂપિયા 18,101 કરોડના ખર્ચે તૈયાર થશે. વર્ષ 2025નું વર્ષ નૌસેના માટે ઐતિહાસિક બનશે. સમુદ્રમાંથી ભારતની ગર્જના થવાની છે. 9 ઘાતક જહાજો સામેલ થશે. આ જહાજોનું નિર્માણ ભારતની શીપ યાર્ડ કંપનીઓ દ્વારા કરવામાં આવશે. જેમાં મજગાંવ ડોક શિપબિલ્ડર્સ લિમિટેડ, હિન્દુસ્તાન શિપબિલ્ડર્સ, ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ એંડ એન્જીનીયર્સ કંપનીઓ આ જહાજો બનાવશે. આ જહાજ નિર્માણમાં રૂપિયા 18,101નો ખર્ચ થશે તેવો અંદાજ છે. આ જહાજો ભારતીય નૌસેનામાં સામેલ થતા જ પાકિસ્તાન, ચીનની ચિંતા પણ વધી જશે તે નક્કી છે.