આજે સવારે 28 જાન્યુઆરી 2026ના રોજ મહારાષ્ટ્રના બારામતીમાં એક ખાનગી ચાર્ટર્ડ ક્રેશ થઈ ગયું, જેમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી પીઢ નેતા અજિત પવારનું દુખદ નિધન થયું છે.
DGCA ની પુષ્ટિ અનુસાર, આ અકસ્માતમાં અજિત પવાર (Ajit Pawar) સહિત વિમાનમાં સવાર તમામ 5 લોકોના કરુણ નિધન થયા છે. મુંબઈથી બારામતી બેઠકો માટે જઈ રહેલા નેતાના આકસ્મિક અવસાનથી સમગ્ર રાજ્યમાં ભારે શોક અને અરેરાટી વ્યાપી ગઈ છે.વિમાન દુર્ઘટનામાં અજિત પવાર સહિત બે પાઇલટ, 1 ક્રૂ મેમ્બર અને 1 અન્ય વ્યક્તિનું મોત નિપજ્યું છે.
મળતી માહિતી મુજબ, આજે સવારે 8:45 કલાકે સર્જાયેલી ભયાનક વિમાન દુર્ઘટના અંગે ચોંકાવનારા ખુલાસા થયા છે. મુંબઈથી બારામતી જઈ રહેલું ફ્લાઇટ VSR દ્વારા સંચાલિત ખાનગી લિયરજેટ 45 (રજીસ્ટ્રેશન VT-SSK) વિમાન જ્યારે રનવે પર ઉતરાણનો બીજો પ્રયાસ કરી રહ્યું હતું, ત્યારે અચાનક રનવે પરથી ભટકી ગયુ અને ખેતરમાં ખાબક્યું હતું.
DGCA ના અહેવાલ મુજબ, આ પ્રચંડ ટક્કર બાદ વિમાનમાં ભીષણ આગ લાગી હતી અને તે સંપૂર્ણપણે નાશ પામ્યું હતું. આ કમનસીબ દુર્ઘટનામાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવાર, તેમના અંગત સુરક્ષા અધિકારી (PSO), એક સહાયક તેમજ પાયલોટ-ઈન-કમાન્ડ અને ફર્સ્ટ ઓફિસર સહિત વિમાનમાં સવાર તમામ પાંચેય વ્યક્તિઓના કરુણ મોત નીપજ્યા છે.
