11 જૂને ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર AXIOM-4 મિશનનું લોન્ચિંગ

sayyamnews
By sayyamnews Add a Comment 1 Min Read

ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર AXIOM-4 મિશનનું લોન્ચિંગ એક દિવસ માટે ટાળી દેવામાં આવ્યું છે. લોન્ચિંગ મોકૂફ રાખવાનું કારણ ખરાબ હવામાન જણાવવામાં આવ્યું છે. ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઇસરો)એ તેના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ પરથી એક પોસ્ટ દ્વારા આ માહિતી આપી છે.

ખાસ વાત એ છે કે ભારતીય વાયુસેનાના બહાદુર ટેસ્ટ પાઈલટ શુભાંશુ શુક્લા આ મિશન દ્વારા ઈતિહાસ રચવા જઈ રહ્યા છે. તેઓ 11 જૂને નાસાના કેનેડી સ્પેસ સેન્ટરથી સ્પેસએક્સના ડ્રેગન અવકાશયાન સી213માં સવાર થઈને અંતરીક્ષ એટલે કે આંતરરાષ્ટ્રીય અવકાશ મથક માટે ઉડાન ભરવાના છે. 15 વર્ષ સુધી કૉમ્બેટ પાયલોટ રહેલા શુભાંશુ ઐતિહાસિક અંતરિક્ષણ મિશન Axiom-4ને સફળ બનાવવા જઈ રહ્યા છે. આ મિશન એક્સિઓમ સ્પેસ હેઠળ લોન્ચ થવાનું છે અને તેને ‘મિશન આકાશ ગંગા’ પણ કહેવામાં આવે છે. આ મિશન ભારત અને અમેરિકા વચ્ચેના અવકાશ સહયોગનું પરિણામ છે, જેમાં ભારતે 548 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *