તેલંગાણાની રાજધાની હૈદરાબાદમાં ભીષણ આગની ઘટનામાં 17 લોકો ભડથુ થઇ ગયા છે. મૃત્યુ પામેલા લોકોમાં આઠ બાળકોનો પણ સમાવેશ થાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ઘટના અંગે દુખ વ્યક્ત કર્યુ છે. સાથે સાથે મૃતકોના પરિવારને વળતર આપવાની જાહેરાત કરી છે. હૈદરબાગદના ઐતિહાસિક ચારમિનાર વિસ્તારમાં ગુલઝાર હાઉસ પાસેની એક ઇમારતમાં આ ભીષણ આગ લાગી હતી.માહિતી મળતાં જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને રાહત અને બચાવ કામગીરી શરૂ કરી હતી. આ ઘટના રવિવારે સવારે 5 થી 6 વાગ્યાની વચ્ચે બની હતી. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.આગ એટલી ભીષણ હતી કે ફાયર ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. માહિતી મળતાં જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દીધું હતું.