ગાંધીનગર ખાતે અંતર રાજ્ય યુવા આદાન-પ્રદાન કાર્યક્રમ યોજાયો

Chintan Suthar

ગાંધીનગર ખાતે My Bharat અને ભારત સરકારના યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય દ્વારા આયોજિત અંતર રાજ્ય યુવા આદાન-પ્રદાન કાર્યક્રમ (હરિયાણા–ગુજરાત) સફળતાપૂર્વક યોજાયો. કાર્યક્રમનો હેતુ વિવિધ રાજ્યોના યુવાનો વચ્ચે સાંસ્કૃતિક એકતા, રમતગમત ભાવના અને રાષ્ટ્રીય સમરસતાને મજબૂત બનાવવાનો હતો.

આ પ્રસંગે પ્રખ્યાત E-Governance અને Agripreneurship નેતા ડૉ. પ્રગ્નેશ રાવલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા. તેમણે હરિયાણાના યુવાનો સાથે સંવાદ કરતા તેમની સંસ્કૃતિ, પરંપરા અને રમતગમત પ્રત્યેના ઉત્સાહની પ્રશંસા કરી.

કાર્યક્રમ દરમિયાન ગુજરાત યોગ બોર્ડ, જિલ્લા યુવા અધિકારી તેમજ અન્ય સંસ્થાઓના પ્રતિનિધિઓએ પણ માર્ગદર્શન આપ્યું. યુવાનોને રાષ્ટ્ર નિર્માણ, નવીનતા અને સામાજિક જવાબદારી તરફ પ્રેરિત કરવામાં આવ્યા.

ડૉ. રાવલે તેમના સંબોધનમાં કૃષિ ઉદ્યોગસાહસ, ડિજિટલ ગવર્નન્સ, સ્થિર વિકાસ અને યુવાનોની સક્રિય ભાગીદારીના મહત્વ પર ભાર મૂક્યો. તેમણે જણાવ્યું કે આવા કાર્યક્રમો દેશની એકતા અને વિકાસ માટે અત્યંત જરૂરી છે અને વધુમાં વધુ યુવાનોને તેમાં જોડાવા માટે અપીલ કરી.

કાર્યક્રમમાં વિવિધ પ્રવૃત્તિઓ અને વિચારવિમર્શ દ્વારા રાજ્યો વચ્ચેની સાંસ્કૃતિક આપલેને વધુ મજબૂત બનાવવામાં આવી.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *