આસામમાં ટ્રેનની ટક્કરમાં 8 હાથીઓના દર્દનાક મોત

Chintan Suthar

આસામના લુમડિંગ ડિવિઝનમાં એક દુ:ખદ દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં ટ્રેન નંબર 20507 ડીએન સાઈરંગ-નવી દિલ્હી રાજધાની એક્સપ્રેસ હાથીઓના ટોળા સાથે અથડાઈ હતી. ટક્કર એટલી ગંભીર હતી કે ટ્રેનનું એન્જિન અને પાંચ કોચ પાટા પરથી ઉતરી ગયા. આ દુર્ઘટનામાં ટ્રેનમાં સવાર કોઈ મુસાફરને તો જાનહાનિ ન થઈ, પરંતુ ટ્રેનની ટક્કરમાં 8 હાથીઓના મોત થયા.

સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે મોટાભાગના હાથીના મોત થયા હતા. આ ઘટના એવા વિસ્તારમાં બની હતી જ્યાં હાથીઓનો કોઈ કોરિડોર નથી. હાથીઓના ટોળાને જોઈને લોકો પાયલોટે ઈમરજન્સી બ્રેક લગાવી હતી. જોકે ટ્રેન હાથીઓ સાથે અથડાઈ હતી, જેના પરિણામે અકસ્માત થયો હતો.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *