અમદાવાદમાં એક જ દિવસમાં બે હત્યાના બનાવથી શહેરીજનોમાં ભયનો માહોલ

Chintan Suthar

ગુજરાતના કથિત સુરક્ષિત કહેવાતા શહેર અમદાવાદમાં ફરી એકવાર હિંસાની ઘટનાઓ સામે આવી છે. બુધવારે (8 ઓક્ટોબર) અસરવા સિવિલ હોસ્પિટલના પાર્કિંગ અને રાણીપ વિસ્તારમાંથી આ ઘટનાઓ સામે આવી છે. જેમાં બે યુવકોની હત્યા કરી દેવામાં આવી છે. શહેરના રાણીપ વિસ્તારમાં જન્મદિવસે જ નરેશ ઠાકોર (રહે-કાળીગામ) નામના યુવકની બર્થડે સેલિબ્રેશન દરમિયાન હત્યા કરી દેવાતા ચકચાર મચી છે.

તો બીજી તરફ અસારવા સિવિલના ગેટ પાસે સામાન્ય બાબતે અન્ય એક યુવકની ઘાતકી હત્યા કરવામાં આવી છે. આ હુમલો આરોપી ભાવેશ, મેહુલ અને કરણ નામના ત્રણ શખસોએ સુરેશ ઉર્ફે કાચા ભીલ નામના વ્યક્તિ પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો હતો. પોલીસે હાલ ત્રણેય આરોપીની ધરપકડ કરી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *