ઓપરેશન સિંદૂરની સફળતાને આઈપીએલના પ્લેટફોર્મ પર ઉજવાશે

sayyamnews
By sayyamnews Add a Comment 1 Min Read

BCCIએ આ ઓપરેશન સિંદૂરની સફળતાને આઈપીએલના પ્લેટફોર્મ પર ઉજવવાનું નક્કી કર્યું છે. એટલે આ વખતે IPLની કલોઝિંગ સેરેમની ખાસ રહેવાની છે. કલોઝિંગ સેરેમનીમાં BCCI એ ઓપરેશન સિંદૂરની જીતની ઉજવણી કરવા માટે અને સેનાની બહાદુરીને સલામ કરવા માટે ખાસ તૈયારી કરી છે.

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ IPL 2025 ની ફાઇનલ મેચ દરમિયાન ભારતીય સેનાને વિશેષ સન્માન આપવાનો નિર્ણય લીધો છે. આ કાર્યક્રમ 3 જૂને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે કલોઝિંગ સેરેમનીમાં યોજાશે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સિંદૂરની સફળતા ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવશે.

7 મેના રોજ ભારતે લીધો હતો પહલગામ હુમલાનો બદલો

ઓપરેશન સિંદૂર 7 મેના રોજ શરૂ થયું. તેનો ઉદ્દેશ્ય પાકિસ્તાન અને પીઓકેમાં જૈશ-એ-મોહમ્મદ, લશ્કર-એ-તૈયબા, હિઝબુલ મુજાહિદ્દીન જેવા આતંકવાદી સંગઠનોના ઠેકાણાઓને નષ્ટ કરવાનો હતો. આ કાર્યવાહી એપ્રિલ 2025 માં પહલગામ આતંકવાદી હુમલાના જવાબમાં કરવામાં આવી હતી, જેમાં 26 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા. આતંકવાદ સામે દેશનું રક્ષણ કરવામાં ઓપરેશન સિંદૂરએ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *