ભારત-પાકિસ્તાનની અટારી-બાઘા સીમા ઉપર દરરોજ બિટિંગ રીટ્રીટ સેરેમનીનું આયોજન કરવામાં આવતું હતું. ત્યારે આ સેરેમની ભારત-પાકિસ્તાન વચ્ચેના તણાવને લઇ 12 દિવસથી સ્થગિત કરવામાં આવી હતી.
હાલ બંને દેશો વચ્ચે સંઘર્ષવિરામના પગલે અટારી-વાઘા સીમા ઉપર ફરી બિટિંગ રીટ્રીટ સેરેમની શરૂ કરવામાં આવી છે. ત્યારે અમુક ફેરબદલ સાથે આ સેરેમનીની શરૂઆત કરવામાં આવી છે.
આ ફેરબદલમાં સેરેમની દરમિયાન ભારત તરફના ગેટ ખોલવામાં નહીં આવે. સાથે ભારત-પાકિસ્તાનના જવાનો એકબીજા સાથે હાથ પણ મિલાવશે નહીં, ત્યારે બિટિંગ સેરેમનીમાં સામાન્ય નાગરિકો દર્શકો તરીકે જોડાઇ શકશે.