પ્રેમાનંદ મહારાજની તબિયત લથડી : આજથી અનિશ્ચિતકાળ સુધી પદયાત્રા-એકાંતિક દર્શન બંધ

Chintan Suthar
By Chintan Suthar 2 Min Read

મથુરા-વૃંદાવનના પ્રખ્યાત સંત પૂજ્ય પ્રેમાનંદ મહારાજના દેશ-વિદેશમાં વસતા લાખો ભક્તો માટે એક મહત્વના અને ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. સંત પ્રેમાનંદ મહારાજની તબિયત હાલ નાદુરસ્ત હોવાનું જાણવા મળ્યું છે. જેના પગલે મહારાજશ્રીની દૈનિક સવારની લોકપ્રિય ‘પદયાત્રા’ અને સામાન્ય ભક્તો માટેનો ‘દર્શન’ કાર્યક્રમ અનિશ્ચિત સમય માટે સ્થગિત કરી દેવામાં આવ્યો છે. શ્રી હિત રાધા કેલીકુંજ આશ્રમના મેનેજમેન્ટ દ્વારા સત્તાવાર રીતે આ જાહેરાત કરવામાં આવી છે.

રવિવારે રાત્રે હજારોની સંખ્યામાં ભક્તો તેમના દર્શન માટે પહોંચ્યા હતા, પરંતુ પ્રેમાનંદજી દરરોજની જેમ વહેલી સવારે 3 વાગ્યે પદયાત્રા પર નીકળ્યા નહોતા. તેમની જગ્યાએ તેમના શિષ્યો પહોંચ્યા હતા અને શિષ્યોએ લાઉડસ્પીકરથી જાહેરાત કરીને જણાવ્યું હતું કે, આપ સૌને વિનંતી છે કે મહારાજજીનું સ્વાસ્થ્ય સારું ન હોવાને કારણે આજથી પદયાત્રા રદ કરવામાં આવી રહી છે. કૃપા કરીને રોડ કિનારે ઊભા રહીને ભીડ ન કરો.

મહત્વનું છે કે, પ્રેમાનંદ મહારાજના દર્શન કરવા માટે ભક્તો દૂર-દૂરથી મુસાફરી કરે છે. પરિણામે, દૈનિક સવારની ચાલ બંધ કરવી અને ચર્ચાઓ પર પ્રતિબંધ મૂકવો નિરાશાજનક છે. પ્રેમાનંદ મહારાજના દર્શન કરવા માટે ભક્તો દરરોજ સવારે શ્રી કૃષ્ણ શરણમ અને શ્રીહિત રાધા કેલીકુંજ આશ્રમ વચ્ચે પરિક્રમા માર્ગ પર પહોંચે છે.આપને જણાવી દઈએ કે, પ્રેમાનંદ મહારાજ ઘણા સમયથી કિડનીની બીમારીથી પીડાઈ રહ્યા છે. તેઓ લાંબા સમયથી નિયમિત ડાયાલિસિસ કરાવી રહ્યા છે. આના કારણે તેમના સ્વાસ્થ્યમાં ઉતાર-ચઢાવ આવ્યો છે.

Share This Article