કેનેડામાંથી 1891 ભારતીય નાગરિકોને ડિપોર્ટ કરાયા

Chintan Suthar
By Chintan Suthar 1 Min Read

કેનેડામાંથી ભારતીય નાગરિકોના બળજબરીપૂર્વક દેશનિકાલના આંકડાઓમાં છેલ્લા કેટલાક વર્ષોમાં જંગી વધારો જોવા મળ્યો છે. કેનેડિયન બોર્ડર સર્વિસીસ એજન્સી (CBSA) ના ડેટા મુજબ, દેશનિકાલની સંખ્યામાં ભારત બીજા ક્રમે છે, જે આ વર્ષે 28 જુલાઈ સુધીમાં 1,891 પર પહોંચી ગઈ છે, જ્યારે 2019માં આ આંકડો માત્ર 625 હતો.આ સાથે જ કેનેડામાંથી ડિપોર્ટ કરાયેલા લોકોની યાદીમાં ભારત મેક્સિકો પછી બીજા સ્થાને છે.

કેનેડિયન વડા પ્રધાન માર્ક કાર્નીએ આ અંગે મોટો ખુલાસો કર્યો છે કે તેમની સરકાર વિદેશી ગુનેગારોને તેમના દેશોમાં દેશનિકાલ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે અને આ પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે ‘ટ્રેકિંગ સુધારવા’ અને ‘વધુ સારા સંસાધનો’ પૂરા પાડવાની યોજના છે. તાજેતરમાં 450 ટપાલના ટુકડાઓની ચોરીના આરોપમાં 8 ભારતીયોની ધરપકડ કરવામાં આવી છે, જે બાદ તેમની સામે પણ ન્યાયિક પ્રક્રિયા દ્વારા દેશનિકાલની કાર્યવાહી થઈ શકે છે.

Share This Article