નવરાત્રિ અમદાવાદ મેટ્રોને ફળી, 14 લાખથી વધુ મુસાફરોએ કરી સવારી

Chintan Suthar

અમદાવાદ શહેરમાં આ વર્ષની નવરાત્રિ ખાસ રહી. શહેરના ગરબા મેદાનોમાં લોકોની ભીડ સાથેસાથે, અમદાવાદ મેટ્રો રેલે પણ આ તહેવાર દરમિયાન રાત્રિના પ્રવાસ માટે લોકોએ સૌથી વધુ પસંદગી આપી.નવરાત્રિના તહેવાર દરમિયાન અમદાવાદ મેટ્રોએ આ વર્ષે મુસાફરોની સંખ્યાના તમામ રેકોર્ડ તોડ્યો છે. આના કારણે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ (GMRC) ની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે.

22 સપ્ટેમ્બરથી 1 ઑક્ટોબર દરમિયાન ફક્ત દસ દિવસમાં જ 14.20 લાખ મુસાફરોએ મેટ્રોમાં મુસાફરી કરી. આ સાથે મેટ્રોને કુલ 1.75 કરોડ રૂપિયાની આવક થઈ છે, જે અત્યાર સુધીનો સૌથી મોટો નવરાત્રિ સીઝનનો આંકડો ગણાય છે.ખાસ કરીને 26 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર દરમિયાન ગરબાના આયોજનોને ધ્યાનમાં રાખીને મેટ્રો સેવાઓના સમયમાં વધારો કરવામાં આવ્યો હતો અને ટ્રેનો રાત્રે 2 વાગ્યા સુધી ચાલુ રહી હતી.

જે સ્ટેશનો ગરબાના મુખ્ય મેદાનોની નજીક આવેલા છે ત્યાં આ સમયગાળા દરમિયાન દિવસભર મુસાફરોની ભારે અવરજવર જોવા મળી હતી. આમાં રિવરફ્રન્ટ, મણિનગર, થલતેજ, હેલ્મેટ ફોર રોડ્સ, વસ્ત્રાલ, એપેરલ પાર્ક ખોખરા અને વેજલપુર જેવા સ્ટેશનોનો સમાવેશ થાય છે.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *