ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી ભારે ઉકળાટ અને ગરમીનો સામનો કરી રહેલ લોકોને આંશિક રાહત થઈ છે. આજે બપોર બાદ રાજ્યના ઘણા વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને ભારે પવન ફૂંકાવાની સાથે વરસાદ ખાબક્યો હતો.
છોટાઉદેપુર, દાહોદ, અમરેલી, રાજકોટ સહિતના વિસ્તારમાં આજે એકાએક ધોધમાર વરસાદ શરૂ થયો હતો. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે અગાઉ આગાહી કરી હતી કે રાજ્યમાં 13 તારીખ બાદ હવામાનમાં પલટો આવશે. ત્યારે તેમની આગાહી સાચી ઠરી છે.
https://x.com/WesternIndiaWX/status/1933880789109989433
મળતી માહિતી મુજબ રાજ્યના પડોશમાં આવેલા સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના વાતાવરણમાં આજે પણ પલટો આવ્યો હતો. સવારથી બપોર સુધી ગરમી અને ઉકળાટના માહોલ વચ્ચે સાંજના સમયે સેલવાસ, ટોકરખાડા સહિત આસપાસના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. આ સાથે રાજ્યના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને લોકોએ ગરમી અને બફારાથી રાહત અનુભવી હતી.